વિલવણીકરણની પ્રક્રિયા પાણીમાંથી ક્ષાર (ખારાશ) કાઢવા માટે કરવામાં આવે છે જેથી દરિયાનું ખારૂં પાણી મીઠું બનાવી શકાય.
વિલવણીકરણ અથવા ક્ષારનિવારણ (અંગ્રેજી: Desalination-ડિસેલિનેશન/ડિસેલિનાઇઝેશન/ડિસેલિનાઇસેશન) એટલે પાણીમાંથી વધારાના ક્ષાર અને અન્ય ખનિજો દૂર કરવાની કેટલીક પ્રક્રિયામાંની કોઇ પણ પ્રક્રિયા. સામાન્ય રીતે, ક્ષારનિવારણનો ઉલ્લેખ ભૂમિ ડિસેલિનેશનની જેમ ક્ષાર અને ખનિજો દૂર કરવાની પ્રક્રિયા માટે કરવામાં આવે છે. પીવા કે સિંચાઇ અને અન્ય માનવ વપરાશ માટે યોગ્ય હોય તેવા પાણીમાં ફેરવવા માટે પાણીનું ક્ષારનિવારણ કરવામાં આવે છે. કેટલીકવાર આ પ્રક્રિયા આડપેદાશ તરીકે ખાદ્ય મીઠાનું ઉત્પાદન કરે છે. તેનો દરિયામાં જતી ઘણી હોડીઓ અને સબમરિનોમાં ઉપયોગ થાય છે.